*🌴દીક્ષાંત સમારોહ🌴*
*મંઝીલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,*
*છોડી જૂનું વતન નવી નગરી જવું પડે..*
આજ રોજ ધોરણ 8 ના બાળકોના દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ 8 નાં બાળકોએ પોતાનાં શાળા જીવનનાં સંસ્મરણો વાગોળ્યાં અને પ્રતિભાવો રજૂ કર્યા.
શાળા પરિવારવતી બધા જ વિદ્યાર્થીઓને *"દીકરો મારો દોસ્ત"* અને વિદ્યાર્થીનીઓને *"દીકરી મારી દુલારી"* પુસ્તક, *બોલપેન* તથા *સ્મૃતિપત્ર* આપી પોતાના શૈક્ષણિક અને સામાજિક જીવનમાં પણ ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી...
શાળાના ગુરુજીઓ તરફથી તમામ બાળકોને *પાણીપુરીનો નાસ્તો* કરાવવામાં આવ્યો.
શાળા વિકાસના કામ માટે હંમેશાં તત્પર એવા *ચૌધરી કુંપાજી નાગજીજી* તરફથી શાળામાં *સરસ્વતીના મંદિરવાળી ખુરશી* ભેટ આપવામાં આવી. જે બદલ દાતાશ્રીનો શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
ધોરણ ૮ નાં બાળકો તરફથી પણ શાળાને *ન્યુઝપેપર સ્ટેન્ડ* ની ભેટ આપવામાં આવી. શાળા પ્રત્યે પોતાનું ઋણ અદા કરનાર તમામ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શાળા પરિવારવતી આશીર્વાદ...
🙏🇮🇳
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો