શૈક્ષણિક જગતમા થતા ફેરફારો અને અન્ય શિક્ષણ ઉપયોગી માહિતિ માટે આ બ્લોગની મુલાકાત લેતા રહો ........બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભાર.......

મંગળવાર, 9 જુલાઈ, 2024

*🌴બાળ સંસદ ચૂંટણી🌴*ભુરગઢ અનુપમ શાળામાં ૯ જુલાઈના રોજ મહામંત્રી અને ઉપમહામંત્રીના પદ માટે *ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સિસ્ટમ* દ્વારા લોકશાહી ઢબે બાળસંસદની ચૂંટણી યોજવામાં આવી.(ચૂંટણી જાહેરનામું, ઉમેદવારી ફોર્મ ભરવું, ફોર્મ ચકાસણી, ભૂલવાળાં ફોર્મ રદ થવાં, ઉમેદવારી પાછી ખેંચવા ફોર્મ પરત લેવું, ચૂંટણી પ્રચાર, આદર્શ ચૂંટણીબૂથ, વોટિંગ પ્રક્રિયા, મત ગણતરી અને વિજેતા ઉમેદવારની શપથવિધિ આ તમામ પ્રક્રિયા ખૂબ સુંદર રીતે યોજાઈ. અંતે ચાર ઉમેદવારો વચ્ચેના ખરખખરીના જંગમાં *કંકુબેન ચૌહાણ* સૌથી વધુ મત મેળવી વિજેતા થયા. તેમણે મહામંત્રી તરીકે શપથ ગ્રહણ કરી પોતાનો કાર્યભાર સંભાળ્યો. જ્યારે રાહુલભાઈ સોલંકીએ ઉપમહામંત્રીનો કાર્યભાર સંભાળ્યો. આમ, મોબાઈલ અને ટેબલેટમાં વોટીંગ મશીન એપ્લિકેશન દ્વારા બાળકોએ ચૂંટણી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો.)

મંગળવાર, 2 એપ્રિલ, 2024

દીક્ષાંત સમારોહ

*🌴દીક્ષાંત સમારોહ🌴*

*મંઝીલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,*
*છોડી જૂનું વતન નવી નગરી જવું પડે..*
આજ રોજ ધોરણ 8 ના બાળકોના દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ 8 નાં બાળકોએ પોતાનાં શાળા જીવનનાં સંસ્મરણો વાગોળ્યાં અને પ્રતિભાવો રજૂ કર્યા.
શાળા પરિવારવતી બધા જ વિદ્યાર્થીઓને *"દીકરો મારો દોસ્ત"* અને વિદ્યાર્થીનીઓને *"દીકરી મારી દુલારી"* પુસ્તક, *બોલપેન* તથા *સ્મૃતિપત્ર* આપી પોતાના શૈક્ષણિક અને સામાજિક જીવનમાં પણ ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી...
શાળાના ગુરુજીઓ તરફથી તમામ બાળકોને *પાણીપુરીનો નાસ્તો* કરાવવામાં આવ્યો.
શાળા વિકાસના કામ માટે હંમેશાં તત્પર એવા *ચૌધરી કુંપાજી નાગજીજી* તરફથી શાળામાં *સરસ્વતીના મંદિરવાળી ખુરશી* ભેટ આપવામાં આવી. જે બદલ દાતાશ્રીનો શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 
ધોરણ ૮ નાં બાળકો તરફથી પણ શાળાને *ન્યુઝપેપર સ્ટેન્ડ* ની ભેટ આપવામાં આવી. શાળા પ્રત્યે પોતાનું ઋણ અદા કરનાર તમામ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શાળા પરિવારવતી આશીર્વાદ...
 🙏🇮🇳
शुभम् भवतु ।

બુધવાર, 13 માર્ચ, 2024

ઈસરો અમદાવાદ દ્વારા આયોજિત *"વિક્રમ સારાભાઈ અંતરીક્ષ પ્રદર્શન"* અંતર્ગત આજે થરાદ તાલુકાની વીરગૌચર અનુપમ પ્રાથમિક શાળામાં જવાનું થયું. મુલાકાત દરમિયાન ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા અવકાશ વિશે સુંદર મજાની માહિતી, વળી અત્યાર સુધીના બધા ઉપગ્રહના મોડેલ વિશેની વિગતવાર માહિતી, ઉપગ્રહ બનાવવાથી લઈને ઉપગ્રહ લોન્ચ કરવા સુધીની સમજ આપી. બાળકોને ખૂબ જ મજા આવી અને સવિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું. ઈસરોથી આવેલ વૈજ્ઞાનિકોના કાર્ય, બાળકો માટે તેમના કર્તવ્ય ભાવ અને એમની કર્મનિષ્ઠાને વંદન, ખરેખર ટીમ ઇસરોને દિલથી સલામ...તેમજ વીર ગૌચર શાળા પરિવારે આવા સુંદર કાર્યક્રમની યજમાની કરી અમને ઘર આંગણે વૈજ્ઞાનિકોને મળવાનો અવસર પ્રદાન કર્યો એ બદલ આભાર....🇮🇳🕉️

સોમવાર, 12 ફેબ્રુઆરી, 2024

સમૂહ ભોજન....

*બાજરીનો રોટલો અને શાકની મીજબાની...*
શાળાના કીચનગાર્ડનમાં વાવેલ ડુંગળી, લસણ, મરચાં સરસ તૈયાર થયાં હતાં, વળી વાલીશ્રી લક્ષ્મણભાઈ ચૌધરી તરફથી તાજા બટાકાનું દાન મળ્યું.. તેમાંથી આજે સ્વાદિષ્ટ શાક બનાવ્યું.😋
....અને સાથે બાળકો ઘરેથી બાજરીના રોટલા લઈને આવ્યા... પછી તો પૂછવું જ શુંં....! હેય.. ને બાળકો સંગ સમુહભોજનની મજા જ મજા.... 😋🎊

સોમવાર, 1 જાન્યુઆરી, 2024

ભૂરગઢ અનુપમ પ્રાથમિક શાળા માં સ્વેટરનું દાન

*🕉️🚩જન સેવા એ જ પ્રભુ સેવા🚩🕉️*
આપણી ભારતીય સંસ્કૃતિમાં દાનનું અનેરું મહત્વ છે. દાન ઘણા બધા પ્રકારનું હોઈ શકે. જે સમયનું હોય, ધનનું હોય કે પછી શ્રમનું હોય. કોઈપણ વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર દાન કરતા હોય છે. માનવ આજીવન પોતના અને પોતના પરિવાર માટે નોકરી, ધંધો અને કંઇકને કંઇક કામ કરતો જ હોય છે. પરંતુ કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર તેમાંથી બીજાના માટે આપણે શું કરી શકીએ તેનું આદર્શ ઉદાહરણ આજે ઢાંકણીયાવાસ પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય *શ્રી ધનજીદાદા* ના પ્રયત્નોથી ત્રણ મહાનુભાવોએ પૂરું પાડ્યું. 
માનનીય...
*1. ભરતભાઈ કતીરા*
*2. વિપુલભાઈ પલણ*
*3. લાલાભાઈ ઠક્કર*
ઉપરોક્ત ત્રણેય મહાનુભાવો દ્વારા આજે અમારી શાળાનાં આશરે 70 જેટલાં જરૂિયાતમંદ બાળકોને સરસ મજાનાં સ્વેટર દાનમાં આપવામાં આવ્યા. ખરેખર સ્વેટર જોઈને બાળકો ખૂબ જ ખુશ થઈ ગયાં. આ સેવા કાર્ય બદલ સમગ્ર ભુરગઢ પરિવાર આ ત્રણેય મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર માને છે અને ભગવાન એમના ધનના ભંડાર ભરેલા રાખે તેવી પ્રાર્થના....🕉️🙏

*🌴એક ડગલું પોષણક્ષમ આહાર તરફ...🌴*વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા જન્મદિવસ નિમિત્તે *અક્ષયપોષણ* યોજનામાં અપાયેલ મગમાંથી આજે સ્વાદિષ્ટ, પોષણયુક્ત *મગની દાળ* અને સ્ટાફમિત્રો તરફથી *શીરો* બનાવી બાળકોને જમાડવામાં આવ્યાં...

મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

ગણપતિ દાદા

 ભુરગઢ શાળામાં ગણપતિ દાદાની સ્થાપના કર્યા બાદ દરરોજ આરતી અને પૂજન-અર્ચન કરીને દાતાશ્રીઓ દ્વારા ખૂબ ભાવથી પ્રસાદ પણ આપવામાં આવ્યો.
આરતીના પ્રસાદમાં પ્રથમ દિવસે ગુરુવારે *ચૌધરી દિપાજી કેસરાજી* તરફથી _મોતીચૂરના લાડુ_,
શુક્રવારે *ચૌધરી મદરૂપજી ખેંગારજી* તરફથી _પેંડા_,
શનિવારે *મકવાણા મુકેશભાઈ અમરાજી* તરફથી _રેવડી_ તથા 
*ચૌહાણ અશોકજી સેનાજી* _બુંદી_,
સોમવારે *ચૌધરી ભાવેશભાઈ વેનાજી* તરફથી _બુંદી_,
મંગળવારે *ચૌધરી અશોકભાઈ ધનાભાઈ* તરફથી _સફરજન_ તેમજ
*મકવાણા દિલિપજી વાઘાજી* તરફથી _બુંદી_ નો પ્રસાદ આપવામાં આવ્યો.
ઉપરાંત આવતીકાલની આરતીના પ્રસાદમાં *શાળા સ્ટાફ પરિવાર* તરફથી _માવામોદકના લાડુ_ આપવામાં આવશે. 
આવતીકાલે ગણપતિ દાદાને ધામધૂમથી વિદાય આપી વિસર્જન કરવામાં આવશે.
તમામ દાતાશ્રીઓનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે તથા વિઘ્નહર્તા દેવ આપણા સૌ ઉપર હંમેશાં પોતાની કૃપાદૃષ્ટિ બનાવી રાખે એવી પ્રાર્થના સાથે સૌને જય ગણેશ.... 🙏🕉️

બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023

વિઘ્નહર્તા ગણપતિનું સ્થાપન

https://youtu.be/CATfkpQIzg8
*વિઘ્નહર્તા ગણપતિનું સ્થાપન*

ભુરગઢ અનુપમ પ્રા.શાળામાં ગણપતિ બાપાની સ્થાપના......

*🌴हमारी संस्कृति, हमारी पहचान।🌴* 
શિક્ષણ, સંસ્કાર અને સાંસ્કૃતિક વારસાના સુભગ સમન્વય અનુસાર આજે અમારી ભુરગઢ અનુપમ પ્રાથમિક શાળામાં વિઘ્નહર્તા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી. કોઈપણ તહેવાર, પ્રસંગ કે ઉત્સવની ઉજવણી બાળકોમાં કલા, સાહિત્ય, સંસ્કાર અને તેની સાથે જોડાયેલ પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક અભિગમનું સિંચન કરે છે. તે અનુસાર આજે શાળાના બાળકોએ માટીમાંથી ગણપતિ બાપાની મૂર્તિ બનાવી, ઘણાં બાળકોએ કાગળ પર ગણપતિ બાપાની આકૃતિ બનાવી તો ઘણા બાળકોએ રંગપૂરણી અને ચીટકકામ પણ કર્યું. વળી તોરણ અને સ્થાન સુશોભન પણ કરવામાં આવ્યું. શાળા પરિવાર અને બાળકો દ્વારા સંગીતના સાધનો અને સંગીતના નાદ સાથે શાળાના પ્રાંગણમાં ગણપતિ બાપાને બિરાજમાન કરવામાં આવ્યા. ખરેખર બાળકોને ખૂબ મજા આવી અને શાળાનું સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પા મોરીયાના નાદથી ગૂંજી ઉઠ્યું..🕉️